ધોરણ 6 થી 8ના ઑફલાઈન વર્ગો માટે શિક્ષણમંત્રી એ આપ્યું નિવેદન

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટવાની સાથે જ રાજ્ય સરકાર હવે ધીમે-ધીમે પ્રતિબંધો હળવા કરી રહી છે. અગાઉ ધોરણ 9 થી 12 અને કોલેજોમાં ઓફલાઈન અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે હવે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગો અંગે મોટું નિવેદન આપ્યું છે.
અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમ બાદ રાજ્યના શિક્ષણ મંત્રીએ ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 9 ઓગસ્ટ બાદ ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવી શકે છે. જો કે આ મામલે 9મીં ઓગસ્ટ બાદ કોર કમિટીને મળનારી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે.

Comments