3 મે સુધીમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર બંધ કરો , નહીં તો સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડીશું :MNS ચીફ રાજ ઠાકરે

 નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ફરી એકવાર રાજ્ય સરકારને મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવા ચેતવણી આપી છે . રાજ ઠાકરેએ કહ્યું કે , 3 મે સુધીમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર બંધ કરી દેવા જોઈએ નહીં તો સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવામાં આવશે . આ એક સામાજિક મુદ્દો છે , ધાર્મિક નથી . હું રાજ્ય સરકારને કહેવા માંગુ છું કે , અમે આ વિષય પર પીછેહઠ નહીં કરીએ , તમારે જે કરવું હોય તે કરો .
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડાએ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે 3 મે સુધીમાં જો મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ નહીં થાય તો અમે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા પણ વગાડીશું . તમને જણાવી દઈએ કે દેશના કેટલાક રાજ્યોમાં નવરાત્રિના પહેલા દિવસે અને બાદમાં નવરાત્રીના અંતિમ દિવસે શોભા યાત્રાઓને લઈને પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે . રાજસ્થાન , મધ્યપ્રદેશ , બિહાર , ઝારખંડ , કર્ણાટક વગેરેમાં ઘણી જગ્યાએ સાંપ્રદાયિક તણાવની સ્થિતિ જોવા મળી રહી છે . બીજી તરફ રાજ ઠાકરેએ શરદ પવાર પર જોરદાર નિશાન સાધ્યું . સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે અજિત પવારના ઘરે દરોડા પડ્યા છે પરંતુ સુપ્રિયા સુલેના ઘરે કેમ નથી ? આ સાથે તેમણે કહ્યું કે જ્યારે શરદ પવાર તેમના ભાષણમાં ખુશ હોય છે ત્યારે ડર લાગે છે . અગાઉ , પોલીસે રવિવારે દાદર વિસ્તારમાં શિવસેના મુખ્યાલયની સામે લાઉડસ્પીકર પર ' હનુમાન ચાલીસા ' વગાડવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ( MNS ) ના ચાર કાર્યકરોની અટકાયત કરી હતી . એક અધિકારીએ જણાવ્યું કે , પોલીસે લાઉડ સ્પીકર , જે કાર પર મૂકવામાં આવ્યું હતું તે કાર , વાહન અને અન્ય વસ્તુઓ પણ જપ્ત કરી લીધી છે .

Comments